આ મહીને ગુજરાત રાજ્યની સ્થાપનાને ૫૦ વર્ષ થયા. ચોતરફ જયારે ગુજરાત અને ગુજરાતીઓ વિષે વાંચ્યું ત્યારે મન માં કઈક આવી લાગણીયો થયી..
જયારે પણ લાખો ત્યારે તે ભાષામાં જ લખવાનું મન થાય
વાંચન કરો તો પણ તે જ ભાષામાં વાંચવાનું ગમે
બોલવાનું થાય કે વાતો કરો તો પણ તે જ ભાષા બોલવી ગમે
પત્ર લખવાનો હોય અને થાય ચાલો ગુજરાતીમાં લખીએ
પુસ્તકાલયમાં જાવ અને ગુજરાતી વિભાગમાં થી દૂર જવું ન ગમે
ભાઈ બહેન, માં-બાપ, દોસ્તારો ના જુના લખેલ પત્રો સાચવી રાખો
કેમકે એ લાગણીઓ થી નિતરતા હોય છે, એમાંની મીઠી ભાષા ના લીધે
ભાષા કે જેમાં એક જ વાત કેટ-કેટલી અલગ અલગ રીતે કહી શકાય
અને જેના શબ્દો ના ભાષાંતર બીજી ભાષામાં શોધવા અશક્ય બની રહે
તે ભાષા કેટલી તો વિપુલ અને સમૃદ્ધ કે જેનો જોટો ન જડે
અવનવા શબ્દો અને તેના અવનવા અર્થ
વાક્યપ્રયોગ કરો કે કાવ્ય લાખો, શબ્દોની ખોટ નહિ
પ્રેમભરી લાગણીઓ દર્શાવવી હોય કે અત્યંત દુ:ખજનક પ્રસંગનું વર્ણન
કે પછી કોઈ ગુઢ વાત કે ભક્તિભાવ સભર કથા
ઉખાણા લખવા હોય કે કોઈ ગીત, હાઇકુ, નિબંધ કે વાર્તા
વિદેશીયો પણ એટલા રસપૂર્વક એને શીખે અને શીખવે
ત્યારે એમ થાય વાહ! ભાષા હોય તો આવી...
મારી માતૃભાષા ગુજરાતી જેવી.
-કાનન
૧લી મે, ૨૦૧૦
Showing posts with label ગુજરાત. Show all posts
Showing posts with label ગુજરાત. Show all posts
Tuesday, May 11, 2010
Thursday, July 10, 2008
કહેવાય નહી !!!!
મન મરણ પહેલા મરી જય તો કહેવાય નહી
વેદના કામ કરી જાય તો કહેવાય નહી
આંખથી અસ્રુ ખરી જાય તો કહેવાય નહી
ધૈર્ય પણ પાણી ફરી જાય તો કહેવાય નહી
એની આંખોને ફરી આજ સુઝી છે મસ્તી...
દીલ ફરી મુજથી ફરી જાય તો કહેવાય નહી
આંખડી ભોળી, વદન ભોળુ, અદાઓ ભોળી..
પ્રાણ એ રુપ હરી જાય તો કહેવાય નહી...
કંઇ મજા મીઠી તડપ્વામાં મળે છે એ ને...
દીલ વ્યથા વે રે વરી જાય તો કહેવાય નહી
આંખનો દોષ ગણે છે બધા દીલ ને બદ્લે...
ચોર નીર્દોષ ઠરી જાય તો કહેવાય નહી
શોક્નો માર્યો તો મરશે નહી તમારો આ "ઘાયલ"
ખ્શી નો માર્યો મરી જાય તો કહેવાય નહી
- અમૃત ‘ઘાયલ’
વેદના કામ કરી જાય તો કહેવાય નહી
આંખથી અસ્રુ ખરી જાય તો કહેવાય નહી
ધૈર્ય પણ પાણી ફરી જાય તો કહેવાય નહી
એની આંખોને ફરી આજ સુઝી છે મસ્તી...
દીલ ફરી મુજથી ફરી જાય તો કહેવાય નહી
આંખડી ભોળી, વદન ભોળુ, અદાઓ ભોળી..
પ્રાણ એ રુપ હરી જાય તો કહેવાય નહી...
કંઇ મજા મીઠી તડપ્વામાં મળે છે એ ને...
દીલ વ્યથા વે રે વરી જાય તો કહેવાય નહી
આંખનો દોષ ગણે છે બધા દીલ ને બદ્લે...
ચોર નીર્દોષ ઠરી જાય તો કહેવાય નહી
શોક્નો માર્યો તો મરશે નહી તમારો આ "ઘાયલ"
ખ્શી નો માર્યો મરી જાય તો કહેવાય નહી
- અમૃત ‘ઘાયલ’
Wednesday, June 11, 2008
એક એવી સફરમાં છું !!!!
કેમ લાગે છે કે સફરમાં છું?
હું તો મારા જ ખુદના ઘરમા છું.
પાંદડે પાંદડે ઉદાસી છે,
મારા મનથી હું પાનખરમાં છું.
રાત જેવા તમામ દિવસો છે,
કોણ જાણે હું કયા પ્રહરમાં છું .
મારા હાથે હું તોડી રાજમહેલ,
સાવ ખંડેર જેવા ઘરમાં છું.
ખાર જેવાં બધાં જ પુષ્પો છે,
ભરવસંતે હું પાનખરમાં છું.
માર્ગ મંજિલ કે ના વિસામો છે,
એક એવી સફરમાં છું.
હું તો મારા જ ખુદના ઘરમા છું.
પાંદડે પાંદડે ઉદાસી છે,
મારા મનથી હું પાનખરમાં છું.
રાત જેવા તમામ દિવસો છે,
કોણ જાણે હું કયા પ્રહરમાં છું .
મારા હાથે હું તોડી રાજમહેલ,
સાવ ખંડેર જેવા ઘરમાં છું.
ખાર જેવાં બધાં જ પુષ્પો છે,
ભરવસંતે હું પાનખરમાં છું.
માર્ગ મંજિલ કે ના વિસામો છે,
એક એવી સફરમાં છું.
Monday, December 24, 2007
Subscribe to:
Posts (Atom)